ભરૂચ,
• ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે સર્જાયેલા વિવાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે
• સંતસમાજના મુકતાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરી મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે
• માર્ચ મહિનામાં તપાસ દરમિયાન લેવાયેલો આ વિડીયો જાહેર કરાયો છે
• વિડીયો અનુસાર ભોંયરામાં એક કોતરણી વાળી શીલા છે જેમાં મૂર્તિઓ હોવાનો દાવો કરાયો છે
• Archaeological Survey of India એટલેકે પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક એક Centrally Protected Monument છે
• મસ્જિદના કૂવાની સફાઈ થાય તો વધુ મૂર્તિઓ મળી શકે તેમ છે : સ્વામી મુક્તાનંદ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંતસમાજના મુક્તાનંદ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે.
મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે જાહેર કરાયેલા આ વીડિયોમાં ભોંયરામાં આવેલી એક કોતરણીવાળી શીલા દર્શાવવામાં આવી છે, જેમાં મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.સ્વામીએ વધુમાં જણાવ્યું કે જો મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો ત્યાંથી વધુ મૂર્તિઓ અથવા પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા નકારી શકાય નહીં.ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI) હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે અને તે Centrally Protected Monument તરીકે માન્યતા ધરાવે છે.જોકે, વીડિયો સામે આવ્યા બાદ દાવાઓને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ સુધી ASI અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
