અંકલેશ્વર,
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારો અને કર્મચારીઓએ સાફ-સફાઈ કરી હતી
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને ક્લીન-અપ ડ્રાઇવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
આ અભિયાનમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાફ-સફાઈ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સહભાગી બનવાની અપીલ કરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
