દહેજ જાગેશ્વર ગામે નવ્યાન શિપયાર્ડ પ્રોજેક્ટ ની લોકસુનાવણીમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ : રોજગારી મુદ્દે ઉઠ્યા સવાલો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દહેજ, ભરૂચ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉઠાવતા સુનાવણીમાં વિરોધનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી. જોકે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિકોને પૂરતી રોજગારી મળી નથી. “જમીન અમારી, અસર અમારી ઉપર તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ” તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકસુનાવણી દરમિયાન અનેક વખત હોબાળો અને રોષનું વાતાવરણ સર્જાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!