રાજપીપલા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કરાયું ખાડા પૂજન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– ભગવાન આ ભાજપના નેતાઓ અને તંત્રને સદ્બુદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી

– ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમની ગેરહાજરી માં આપના કાર્યકરો વિપક્ષની ભૂમિકા ભજવતું આપ

રાજપીપલા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખાડા પૂજન કરીને તંત્ર સામે અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો.જેમાં ભગવાન આ ભાજપના નેતાઓ અને તંત્રને સદ્બુદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.

હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમની ગેરહાજરીમાં આપના કાર્યકરો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. આપ નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપલામાં સ્ટેશન રોડથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો ખૂબ ખરાબ થઈ ગયો છે, વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.

રાજપીપળાથી અંકલેશ્વર, ડભોઈ, વડોદરાના રસ્તાઓ પણ બીમાર હોઈ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે રસ્તાઓ કેમ તૂટી જાય છે? કોન્ટ્રાક્ટરનું કામોમાં ખામી અને રસ્તાના તકલાદી કામોહોવાનું જણાવી પ્રજાને જાગૃત થવા જણાવ્યું હતું.

સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે જાહેર રસ્તા પર આમ આદમીના કાર્યકરએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ કરતાં લોકોનું ધ્યાન દોર્યું હતું. ગણેશ મહોત્સ ટાણે મૂર્તિઑને લાવવા જવામાં તકલીફ ન પડે એ માટે નગરના રસ્તાના ખાડા પૂરતા આપ કાર્યકરોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!