તાલાલા,
આજરોજ તાલાળા ગીર કે જ્યાં સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ કહેવાતા શ્રીબાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં વહીવટ કરતા અને કહેવાતા પ્રમુખ મુકેશભાઈ દેવડીયા જે ભ્રષ્ટાચાર કરતા તેને અનુસંધાને સમાજના આગેવાનોએ તેમની પાસેથી હિસાબની માંગણી કરતા તેઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરીને સમાજના અગ્રણીઓ ઉપર ખોટી ફરિયાદો કરી તે ફરિયાદના જવાબ આપવા માટે આજરોજ તાલાળા પોલીસ સ્ટેશનને પોરબંદર નિવાસી અને સોરઠીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ગોહેલ તથા મંત્રી પ્રમોદભાઈ શિંગડીયા અને ઉપલેટા નિવાસી પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વારા તથા રોહિતભાઈ વડુકુળ તથા સોરઠીયા પ્રજાપતિ સમાજના અગ્રણી ભરતભાઈ ચાંડેગરા તથા ઉપલેટાના જાણીતા યુવા બિલ્ડર રુદ્રાક્ષ કન્સ્ટ્રકશન વાળા કિશન વારા સામે અરજી દાખલ કરવામાં આવેલ હતી તેના ભાગરૂપે સમાજના આગેવાનોએ તાલાળા પોલીસ સ્ટેશનને રૂબરૂ જઈને તે ફરિયાદનો જવાબ આપેલ હતો.