નર્મદા જિલ્લા ભાજપના સંગઠન મંત્રી સુરેન્દ્ર વસાવાએ જિલ્લા પ્રમુખને રાજીનામુ આપી દેતા ભાજપામાં હડકંપ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

• ભાજપા છોડીને હવે આપમાં જોડાશે : નર્મદામાં રાજકીય સમીકરણો બદલાયા

• પહેલા આપ માંથી ભાજપમાં જોડાતા હતા હવે ભાજપ છોડીને લોકો આપમાં જોડાય છે

નર્મદા જિલ્લા પંચાયત,સાગબારા, ડેડીયાપાડા, ચીકદા અને ગરુડેશ્વર તાલુકા પંચાયત માં ભાજપાની કરારી હાર પછી ભાજપના પાયાના કાર્યકરો આગેવાનો ભાજપથી દૂર જઈ રહ્યાં છે.સાંસદ થી માંડીને વરિષ્ઠ આગેવાનોએક તરફ હારનું મનોમંથન,સમીક્ષા કરી રહ્યાં છે, સાંસદ અને આગેવાનોએ તો હારનું ઠીકરુ જિલ્લા પ્રમુખ અને મહા મન્ત્રી ઉપર ફોડી દીધું છે અને હાર માટે જવાબદાર જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ થઈ રહી છે એવા સંજોગોમાં નર્મદા જિલ્લાના જવાબદાર વધુ એક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રીના રાજીનામાંથી ભાજપને આંચકો લાગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા લોકો આપ છોડીને ભાજપામાંજોડાતા હતાં હવે આપ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તા પર આવ્યા પછી હવે લોકો ભાજપા છોડીને આપ માં જોડાઈ રહ્યાં છે ત્યારે નર્મદા જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાયા છે.

નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી સુરેન્દ્રભાઈ (સુનિલભાઈ) જેઓ છેલ્લા 30 વર્ષ થી પાર્ટી સાથે વફાદાર રહી કામગીરી કરતા હતાં.તેમના જણાવ્યા અનુસાર પાર્ટીને ઉપર લાવવામાં ઘણુ યોગદાન આપેલ છે.પોતાના ગામ નવાગામ જાવલી છેવાડાના ગામ ના રહેવાસી છે.રાજીનામું આપવાનું કારણ તેમને જિલ્લા પંચાયતની ટિકિટ ન ફાળવવાનું કારણ જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર હું 1995થી સાંસદ મનસુખ ભાઈ પેટા ચૂંટણી લડતા હતાં ત્યારથી તેમની સાથે રહીને પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે અને સંગઠનનું કામ કર્યું છે.આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેં જાવલી જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. પાર્ટીમાં 30 વર્ષ સુધી કામ કર્યું છતાં મને ટિકિટ ન આપી અને મારી આવગણના કરી. અને પ્રદેશમાં મારું નામ મોકલ્યું પણ નહીં. અને બીજા લાગતા વળગતાઓને ટિકિટ આપી એનાથી હું નારાજ છું. તમે આપ માં જોડાશો કે કેમ એવો સવાલ પૂછતાં ટેલિફોનીક મુલાકાતમાં હું અમદાવાદ આપ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું અને આપ જોડાઈ ચૈતર વસાવા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી હું આદિવાસી છું એટલે આદિવાસીઓના પ્રશ્નો અને આદિવાસી સમાજ માટે કામ કરવા ઇચ્છુ છું. પોતાના વિસ્તારના પ્રજાના કામો પણ થતા ન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.30 વર્ષજુના આ સક્રિય સભ્ય અને સંગઠન મંત્રીએતમામ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમનો રાજીનામાં પત્ર સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.ભાજપા ના આગેવાનો ની પાર્ટીમાં થતી ઘોર ઉપેક્ષાને કારણે પાર્ટી પ્રત્યે લોકો નો વિશ્વાસ ડગી રહ્યો છે અને રાજીનામુ આપવા સુધીની નોબત આવી રહી છે ત્યારે ભાજપ માટે આગામી દિવસો માં કાર્યકર્તાઑનો વિરોધ રોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!