ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા યોજાયો વિશેષ સેમિનાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

​ભરૂચ,

ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમાજની ૫૦થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ૨૫૦ થી વધુ બહેનોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ કામ, રસોઈ કામ તેમજ ગૃહ ઉદ્યોગને લગતું કાચું મટીરીયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગો સુધી પહોંચાડશે.

આહિર સમાજના ​મહિલા આગેવાન નીરૂબેન આહિરના જણાવ્યા અનુસાર : ‘’બહેનોને સિવણ ક્લાસ તેમજ રસોઈ ઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે‘’.

​આ સુંદર પ્રયાસથી આગામી દિવસોમાં આહિર સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પોતાના પરિવારનો મજબૂત આધાર બનશે.

ધ ન્યૂઝ વેવ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!