ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને કોંગ્રેસ નેતા હીરા જોટવાના કોર્ટે મંજુર કર્યા જામીન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં મુખ્ય આરોપી અને કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ બાદ હવે જોટવા જામીન પર મુક્ત થયા છે. મનરેગાની ૧૬ કામોમાં અંદાજે ૭ કરોડથી વધુના ગોટાળાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર્જશીટ પણ દાખલ કરી હતી. હીરા જોટવાએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. બચાવ પક્ષના વકીલ કિરણ ઠાકોરે જણાવ્યું હતું કે કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો ઉલ્લેખ કરીને જામીન મંજૂર કર્યા છે. હવે કોર્ટના આ હુકમને પોલીસે ઉપલી કોર્ટમાં પડકારવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!