જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની યોજાઈ બેઠક

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

જંબુસર, ભરૂચ

ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જંબુસર પી.આઈ વી કે ભુતીયા, આર.એલ.ખટાણા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જંબુસરમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી. જંબુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું. આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરવા અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવ્યું હતું જે અંતર્ગત જંબુસર આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને એકતા અને ભાઈચારાથી ઉજવવાની ખાતરી આપી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!