સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર – અમિત શાહ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, કે ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ સુલેમાન, જીબ્રાન અને અફઘાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન એ તૈયબાનો કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ આતંકવાદી હતા અને લશ્કર એ તૈયબા સાથે સંક્રયેલા હતા. અમિત શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું સમગ્ર દેશને જણાવવા માંગુ છું કે પહલગામ હુમલામાં આપણાં નાગરિકોને જેમણે માર્યા તે ત્રણેય આતંકવાદીને આપણા જવાનોએ મોતને ઘાટ ઉતારી દીધા છે.’

આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક એમ-9 અને બે એકે-47 હતી. આ ત્રણેય રાઈફલ્સની કારતૂસની ખાતરી કરવામાં આવી છે. છ એક્સપર્ટની ટીમે ખાતરી કરી છે કે, આ રાઈફલ્સમાં તે જ કારતૂસ સામેલ છે, જે પહલગામ આતંકવાદી હુમલામાં વપરાઈ હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!