ગુજરાત સરકાર
મહેસૂલ વિભાગે (Revenue Department) રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 59 ડેપ્યુટી કલેક્ટરો (GAS કેડર) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું જણાવાયું છે, જેનો હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવી અને લોકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવી તથા ગુજરાતનાં વહીવટી તંત્રને વધુ શુદ્રઢ કરવાનાં ઉદ્દેશ્ય થી કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવેલ છે.
